કેપ કે બ્રિજ ફિટ કર્યા બાદ દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
કેપ/બ્રિજ ફિટ કર્યા બાદ થોડા દિવસ સુધી વધુ ઠંડુ કે વધુ ગરમ ખાવાથી તેમજ પાણી પીવાથી કળતર થવાની સંભાવના રહે છે.
વધારે ચીકણો પદાર્થ જેવો કે અંજીર કે એકલર્સ ચોકલેટ ખાવાથી કેપ/બ્રિજ નીકળી જવાની સંભાવના રહે છે જે ધ્યાનમાં રાખવું.
દાંતમાં કેપ/બ્રિજ ફિટ કર્યા પછી ખોરાક ચાવતી વખતે જો કેપ/બ્રિજ નડતરરૂપ લાગે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
જો કેપ/બ્રિજ નીકળી જાય તો 1 અઠવાડિયાની અંદર ફરી ફિટ કરાવી દેવું, જો તેમ કરવામાં ન આવે તો માપ બદલાઈ જાય છે અને નવી કેપ બનાવવી પડે છે. જેનો ખચૅ અલગથી આપવાનો થશે.
દિવસમાં બે વાર બ્રશ કરવુ અને દર મહિને બ્રશ બદલવુ.
જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.